ધોરણ 3 થી 8 પ્રથમ સત્રાંત પરીક્ષા 2022 -23 પરીક્ષા કાર્યક્રમ અને જરૂરી સૂચનાઓ

ધોરણ 3 થી 8 પ્રથમ સત્રાંત પરીક્ષા 2022 -23 પરીક્ષા કાર્યક્રમ અને જરૂરી સૂચનાઓ 
1. ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે દરેક વિષયનું પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને આપવામાં આવશે . આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે .
 2. સદર કસોટીમાં ધોરણ 3 થી 8 ના તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે . 
3. ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન , પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓની સાથે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ પણ નિયત સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે . તેમજ બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની શાળા કક્ષાએ તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે . અનુદાનિત શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીને પ્રશ્નપત્રો માટે નિયત કરેલ રકમ ચૂકવવાની રહેશે .
 4. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીની પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે . આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે .
 5. સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન - કસોટી સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે . 
6. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયના પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે .
પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત
ધોરણ 3 થી 8 પ્રથમ સત્રાંત પરીક્ષા 2022 -23 પરીક્ષા કાર્યક્રમ અને જરૂરી સૂચનાઓ



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.